ખોખરા હનુમાન હરીહરધામ જવા માટે પાલિકા દ્વારા બસની વ્યવસ્થા કરાઈ

ખોખરા હનુમાન હરીહરધામ ખાતે કનકેશ્વરીદેવીજીના મુખે શ્રીરામકથા રસપાન કરવા માટે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન તથા ચીફ ઓફી.ના સહયોગથી મોરબી નગરપાલિકા સંચાલિત બસ સેવા દ્વારા કથાસ્થળ સુધી પહોંચવા નીચે જણાવેલ વિગતથી બસ સુવિધા ઉપલબ્ધ થશે.

ગાયત્રીનગર વાવડી રોડ સવારે 8.00, ભગવતીપરા. સવારે 8.10, માધાપર અંબિકા રોડ. સવારે 8.15, રેલ્વે સ્ટેશન. સવારે 8.20, વીસી પરા સવારે 8.25, મહારાણા પ્રતાપ ચોક સવારે 8.30, ટીંબડી સવારે 8.40,  લક્ષમીનગર સવારે 8.50, ભરત વન ફાર્મ સવારે 8.55, ખોખરા હરિહરધામ. સવારે 9.00

એ જ રીતે બપોરે ભોજન પ્રસાદ બાદ બપોરે 1.15 કલાકે એ જ રુટ પરથી બસ પરત ફરશે. બસના ડ્રાઈવર અને ક્લીનરના નંબર આ સાથે આપેલા છે. કોઈ અડચણમાં અન્ય બે નંબરો પર સંપર્ક કરવા વિનંતી.