મર્ડરના ગુનાના આરોપીના નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાંથી જામીન મંજુ૨ કર્યા

ગત તારીખ ૧૦–૦૭–૨૦૨૧ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નં.૧૮૯૬૩ ૨૦૨૧ મુજબ આઈ.પી.સી.ની કલમ ૩૦૨, ૩૨૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તેમજ જી.પી.એકટ ની કલમ ૧૩૫ મુજબ કુલ-૫ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ.

જે ગુના અનુસંધાને આરોપીઓ પૈકી (૧) કપીલકુમાર વિરપાલસિંહ નાય, તથા (૨) રાહુલકુમાર સંજયર્સીહ પાલ દ્વારા નામદાર ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ – મોરબીમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ.જે અન્વયે આરોપીના વકીલશ્રી જયદીપ.બી.પાંચોટીયા તેમજ આઈ.આઈ.કટીયા ની ધારદાર અને કાયદાકીય રજુઆત ને ધ્યાનમાં લઈ આરોપીઓને તા.૦૫-૦૪-૨૦૨૨ ના રોજ જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ.

આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયા,ગીરીશ.બી.અંબાણી તથા આઈ.આઈ.કટીયા વકીલ તરીકે રોકાયેલ હતા.