ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા આગામી 26/03/2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી ની ખમીર વંતી ધરા પર પધારનાર છે . ત્યારે એમના આગમન આયોજન અર્થે શનાળા રોડ હરભોલે હોલ ખાતે બેઠક નું આયોજન કરવામાં આવ્યું.આ બેઠકમાં સમગ્ર આયોજન સુચારુ રૂપે સુદ્રઢ બને તે અંગે વિસ્તાર થી ચર્ચા કરી જવાબદારીઓ સોંપવમાં આવી .
આ બેઠકમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારેઘી, મોરબી માળિયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા , વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ – હીરાભાઈ ટમારિયા, ગુજરાત સરકારના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા , મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પ્રદીપભાઈ વાળા સહિત ના જિલ્લા ના આગેવાનો,મંડળ ના પ્રમુખ મહામંત્રી તેમજ તાલુકા પંચાયત, અને નગરપાલિકા ના ચૂંટાયેલા પ્રમુખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં




