મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા શોભાયાત્રા યોજાઈ

મોરબી માં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગદળ દ્વારા પ્રભુ શ્રી રામ જન્મોત્સવ નિમિતે મોરબી શહેર માં ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવા માં આવ્યું હતું તેમાં તમામ હિન્દુ સંગઠનો તથા તમામ હિન્દુ ભાઈઓ બહેનો એ ઉત્સાહ થી જોડાયા હતા.આ શોભાયાત્રા મોરબી ના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ થી દરબાર ગઢ થઈને જૂના બસ સ્ટેન્ડ થી રવાપર રોડ પર થઈ ને વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય પર અભિવાદન કરીને પૂર્ણ કરવામાં આવી હતી.

આ શોભાયાત્રા નું વિવિધ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પ્રસાદ તથા શરબત નું વિતરણ કરાયું હતું.આ શોભાયાત્રા દરમિયાન સમસ્ત હિન્દુ સમાજ ના લોકો રામ મય બની ઉલ્લાસ પૂર્વક શ્રી રામ જન્મોત્સવ ને વધાવ્યો હતો