મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. કર્મચારી મંડળ દ્વારા સ્નેહમિલન યોજાયું

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ ના મિત્રો દ્વારા સમાજ ના કોઈપણ સરકારી વિભાગ માં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓ અને અધિકારીઓ નું સ્નેહમિલન યોજાયું. જેમાં બહોળી સંખ્યા માં કર્મચારીઓ, અધિકારીઓ અને તેમના પરિવાર જનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજ ના લોકો માં શિક્ષણ નો વ્યાપ અને દુષણો અને કુરિવાજો થી દૂર રહે તે માટે નું આહવાન કરવા માં આવ્યું હતું.

ખાસ તો હાલ માજ સમાજ ના એક કર્મચારી નું અકાળે નાની ઉંમર માં અવસાન થયું તેમના બાળકો અને પરિવાર જનો ના ભવિષ્ય માટે મદદ માત્ર ની અપીલ કરવા માં આવી હતી.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમાજ ના તમામ વિભાગ ના કર્મચારી મિત્રો એ જહેમત ઉઠાવી હતી.