મોરબીની મહેન્દ્રનગર કન્યા અને કુમાર શાળામાં ધોરણ- ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી,વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કાળ દરમ્યાન સૌથી વધુ વર્ષો પ્રાથમિક શાળાઓમાં વિતાવે છે, વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખવાની શરૂઆત પ્રાથમિક શાળાથી કરે છે તેથી વિદ્યાર્થીઓના જીવનમાં પ્રાથમિક શાળા,પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકની છાપ અમીટ રહે છે વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાને આજીવન ભૂલી શકતા નથી વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળા પ્રત્યે લગાવ પણ ખુબજ હોય છે એ અન્વયે મહેન્દ્રનગર કુમાર અને કન્યા શાળા બંને શાળાના સ્ટાફ દ્વારા ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો

જેમાં વિદાય પામનાર ધોરણ 8 ના વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી તેમજ સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું.મહેન્દ્રનગર કન્યા શાળાના આચાર્ય મહાદેવભાઇ રંગપડીયા તથા શાળાના શિક્ષકો તેમજ સી.આર.સી.કો-ઓર્ડીનેટર બાવરવા દ્વારા વિદ્યાર્થીઓને ભણી-ગણીને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી