ટંકારામા ખંડણીના ઈરાદે વેપારી સહિત બે પરીવારના મોભીને ખંડણી ન આપે તો પતાવી દેવાની ધમકી

પોલીસ ખંડણીખોરથી વેંત દુર હોવાની શક્યતા

ટંકારામા વેપારી સહિત બે વ્યક્તિઓને ખંડણી માંગવાના ઈરાદે અજાણ્યા ખંડણીખોરોએ જુદા જુદા મોબાઈલ ઉપરથી અનેક વખત ફોન કરીને પરીવારને પતાવી દેવાની ધમકી આપતા ભોગ બનનાર બંને ઈસમોએ પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસ હરકતમા આવી સાયબર ક્રાઈમની મદદથી ખંડણીખોર સુધી પહોંચવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ટંકારા શહેરના હાઈવે કાંઠે આવેલી ધર્મભક્તિ સોસાયટી મા વસતા મૂળ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પટેલ અરવિંદ સવજીભાઈ કકાસણીયા નામના વેપારીના મોબાઈલ ફોન ઉપર છેલ્લા પાંચેક દિવસ દરમિયાન અનેક વખત અજાણ્યા જુદા જુદા મોબાઈલ ફોનથી અજાણ્યા શખ્સો દ્વારા વારંવાર દસ લાખ રૂપિયા આપવા માંગણી કરી રહ્યા હતા. અજાણ્યા જુદા જુદા શખ્સો ફોન ઉપર જો દસ લાખ રૂપિયા નહી આપે તો પરીવારને પતાવી દેવાની ધમકી આપી રીતસર ખંડણી માંગવામા આવતી હતી. દરમિયાન કંટાળીને સ્થાનિક પોલીસને સમગ્ર વ્યથા ઠાલવી રહ્યા હતા.

એ દરમિયાન ટંકારાના લક્ષ્મીનારાયણ સોસાયટીમા રહેતા મૂળ તાલુકાના મિતાણા ગામના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના એન્જીનીયર તરીકે કામ કરતા પટેલ અશોકભાઈ મોહનભાઈ મુંછાળા પણ પોલીસ મથકે દોડી આવી પોતાને પણ છેલ્લા ત્રણેક દિવસથી ખંડણી માંગતા અજાણ્યા શખ્સના અનેક ફોન આવી રહ્યા છે. અને પાંચ લાખ રૂપિયાની માંગણી કરે છે. નાણા ન આપે તો તેના ખાનગી શાળા મા ભણતા માસુમ કુમળા બાળક સહિત પરીવારના સભ્યોને પતાવી દેવાની ધમકી આપતા હોવાની રાવ કરતા પોલીસ હરકતમાં આવી બંને ફરીયાદ નોંધી સાયબર ક્રાઈમ ની મદદથી ખંડણીખોરો સુધી પહોંચવા બરાબર નો ગાળીયો કસી ભેદ ઉકેલવા આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પોલીસ અમુક શકમંદો સુધી પહોંચી ગઈ છે : ટંકારાના ઈતિહાસ મા સૌપ્રથમ વખત ખંડણી ઉઘરાવવા અંગેની ફરીયાદ દાખલ થઈ છે. જોકે, પોલીસે કુનેહ પૂર્વક કામ લઈ આરોપીઓ ને ગંધ ન આવે કે આઘાપાછા ન થાય એવી ચપળતાથી કામ લઈ તેના કોલર સુધી પહોંચવા અમુક શકમંદો ને ઉઠાવી લીધા હોવાનું જાણવા મળે છે.