મોરબી : વિજયનગર ૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ બનાવી આપવા રજૂઆત

મોરબીના વિજયનગર ૩ થી આલાપ પાર્ક સુધીનો રોડ નવો બનાવી આપવા પત્રકાર દ્વારા મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરી છે

પત્રકાર યોગેશ રંગપરીયાએ રજૂઆત કરી જણાવ્યું છે કે વિજયનગર ૩ થી આલાપ સુધીનો રોડ અત્યંત ખરાબ હાલતમાં છે જેથી રોડનું કામ વહેલી તકે કરવામાં આવે અને જ્યાં સુધી નવો રોડ ના બને ત્યાં સુધી રોડનું હાલ પુરતું રીપેરીંગ કરવામાં આવે કેમ કે લીલાપર કેનાલ રોડ પર સવાર અને સાંજ વધુ ટ્રાફિક રહેતું હોંથી આ રોડનું ઉપયોગ સિરામિક ફેક્ટરી જતા લોકો, પટેલનગર, આલાપ પાર્ક, વિજયનગર, ગજાનંદ પાર્ક, સહિતની સોસાયટીના રહીશો કરતા હોય છે જેથી રોડ બની જશે તો ટ્રાફિક રૂપાંતરિત થઇ સકે અને પરિણામે લીલાપર કેનાલ રોડ પર ટ્રાફિક હળવું કરી શકાશે જેથી તાત્કાલિક રોડ બનાવવા માંગ કરી છે