વાંકાનેરના તીથવા ગામે ઘરે સીડી પરથી પટકાતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ગત તા.12ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈ દેવજીભાઈ મેસરિયા (ઉ.વ.45) પોતાના ઘરે સીડી પરથી નીચે પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તા.13ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.