મોરબી : હનુમાનજી જન્મોત્સવ નિમિતે ચાલીસા તથા ભજન કિર્તનનો કાર્યક્રમ યોજાયો

હનુમાનજી જન્મોત્સવ નિમિતે મોરબી ના આંબેડકર ચોક માં સંત રોહિદાસ ઉપવસ્તીમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા તથા ભજન કિર્તન નો સુંદર કાર્યક્રમ યોજાયોઆ કાર્યક્રમમાં સ્થાનિક રહેવાસી ભાઈઓ,બહેનો, બાળકો સારી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા

આ પાવન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી ના કાર્યકર્તાઓ હરિભાઈ સરડવા,મગનભાઈ રાઠોડ, દિનેશભાઇ વિડજા,પ્રેમજીભાઈ અઘારા,રમેશભાઈ આદ્રોજા, ચંદુભાઈ વડાવીયા ઉપસ્થિત રહયા હતા આંબેડકર ઉપનગર કાર્યવાહ  અલ્પેશભાઈ ગાંધી અને સહ સેવા પ્રમુખ  વિનોદભાઈ શુકલ તેમજ હનુમાન ચાલીસા કેન્દ્રના સંયોજક દિનેશભાઇ રાઠોડના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ સૌ એ આનંદ ઉત્સાહ થી માણ્યો હતો.