વાંકાનેર ખાતે વિવિધ સંરક્ષણદળોમાં જોડાવવા માટેના તાલીમ વર્ગ માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટ યોજાશે

સંરક્ષણદળોની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો માટે ૨૧ ઓગસ્ટથી એક માસ રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથે તાલીમ વર્ગ યોજાશે

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા સંરક્ષણદળો – આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ ફોર્સ, અર્ધ લશ્કરી દળો વગેરેની ભરતીમાં જોડાવા માંગતા યુવાનો સારો દેખાવ કરી શકે અને પસંદગી મેળવી શકે તે માટે એક માસ માટેના રહેવા-જમવાની નિ:શુલ્ક વ્યવસ્થા અને સ્ટાઇપેંડ સાથેના નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી તા.૨૧/૦૮/૨૦૨૫ની આસપાસથી શ્રી વેદમાતા ગાયત્રી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, વાંકાનેર કરવામાં આવનાર છે. જેમા શારીરિક ક્ષમતા કસોટી માટેની અને લેખિત પરીક્ષા માટેની પૂર્ણ સમયની તાલીમ નિષ્ણાંત ફેક્લ્ટી દ્વારા વિનામુલ્યે આપવામાં આવશે.

આ તાલીમ વર્ગમાં એડમીશન મેળવવા માટે પ્રીસ્ક્રુટીની ટેસ્ટનું આયોજન તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે શ્રી એચ.એન. દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ, વાંકાનેર ખાતે રાખવામાં આવ્યું છે. આ તાલીમ વર્ગમાં જોડાવા માટે લાયકાત ધરાવતા અને ઇચ્છુક ઉમેદવારોએ અચુક ઉપસ્થિત રહેવું.