મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઝાલાએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની શુભેચ્છા મુલાકાત લઈ શાળાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી
મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઝાલાએ જિલ્લા શિક્ષણ અધિકારીની શુભેચ્છા મુલાકાત લીધી અને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી શાળા સંચાલક મંડળ દ્વારા 1.શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા માટે જણાવેલ પરિપત્ર અનુસંધાને સરકારના એન્જિનિયરો દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી 2.શાળાઓમાં ઘણા સમયથી વર્ગ ચારના કર્મચારીઓ ની ભરતી થયેલ ન હોય આઉટસોર્સિંગ થી ભરતી થાય તે માટે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવેલ. 3.સરકારના શાળા રીપેરીંગ માટેના ગ્રાન્ટના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને જે શાળાઓ પાસે ૨૦ ટકા રકમ ભરવા માટે ન હોય તેવી શાળાઓને ધારાસભ્ય અથવા સંસદ સભ્યોને ગ્રાન્ટ શાળાના ફાળા માટે ભરવામાં આવે તો તે માન્ય રાખવા માટે પણ સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી. 4.રોસ્ટર રજીસ્ટરો સમયસર અપડેટ થતા ન હોય શાળામાં શિક્ષકો ની જગ્યાઓ ખાલી રહી જાય છે તે માટે પણ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવેલ.





જિલ્લા શિક્ષણ અધિકારી મોતા સાહેબ દ્વારા વિવિધ પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાતરી આપવામાં આવેલ.
