મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા અવેડા અભિયાન હાથ ધરાયું

મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા હાલ ઉનાળામાં અબોલ પશુ-પક્ષીઓ માટે અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ગાય માતા માટે અવેડા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ઉનાળાની ગરમીમાં ગાય માતાને પાણી મળી રહી તે હેતુથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઘર-ઓફિસ બહાર રાખી શકાય તેવા પાણીના અવેડાનું રાહતદરે વેચાણ કરવામાં આવી રહ્યું છે. જીવદયાપ્રેમીઓને અવેડા મેળવવા માટે મો.7574885747 પર સંર્પક કરતાની સાથે જ કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્ય પાણીના અવેડાને ઘર સુધી પહોંચાડી આપવાની સેવા પણ આપશે. તેમજ અવેડાની કિંમત રૂ.900 રાખવામાં આવી છે. સાથે જ અવેડામાં 200 લીટર જેટલું પાણી સમાઈ શકશે. આ ઉપરાંત અવેડા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતેથી પણ મળી રહેશે.