મોરબી : મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથીની ઉજવણી કરાઈ

જાગા સ્વામી મિત્ર મંડળ તથા સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા મોચી જ્ઞાતિ રત્ન ભક્તરાજ શ્રી લાલાબાપાની ૮૧ મી પુણ્યતિથી ની ઉજવણી કરવામાં આવી.

કોરોના મહામારી ના કારણે બે વર્ષ બાદ આ વર્ષે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા પૂજય સંત શ્રી લાલાબાપાની પુણ્યતિથીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ શેરી નં-૧૦/૧૧,વ્રજ હોસ્પિટલ સામે મોરબી ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મહાઆરતી રાખેલ.આ આરતી માં મોરબી ના
માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જ્ઞાતિ અગ્રણી અને મોરબી ના Dy. DDO ઈલાબેન ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ આ પ્રસંગે મંડળ ના પૂર્વ પ્રમુખ ને જ્ઞાતિજનો એ બે મિનિટ નું મૌનપાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.તેમજ ૧૧:૩૦ કલાકે બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો એ સમૂહ પ્રસાદ લીધેલ. જે પ્રમુખ ઈશ્વરભાઈ એમ રાઠોડ ની યાદી માં જણાવ્યું છે.