માળિયા : સોનગઢ પાટીયા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતની ઘટનામાં એક ટ્રકચાલકનું મોત

માળિયા તાલુકાના સોનગઢ ગામ નજીક બે ટ્રક અથડાયા હતા જે અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું હતું તો અન્ય એકને ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે રાજસ્થાનના રહેવાસી વિજેન્દ્રકુમાર કૈલાશચંદ શર્મા (ઉ.વ.૩૫) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૨ ના રોજ રાત્રીના સુમારે તે પીપળીયા ચાર રસ્તાથી કોલસો ભરીને ટ્રક ટેલર આરજે ૫૨ જીએ ૧૯૦૩ લઈને ઉત્તરપ્રદેશ ખાલી કરવા જતા હોય ત્યારે જામનગર માળિયા હાઈવે પર સોનગઢ ગામના પાટિયા નજીક માળિયા તરફથી આવતા ટ્રક પીબી ૦૪ એબી ૭૫૮૨ વાળાએ અકસ્માત સર્જ્યો હતો

જે અકસ્માતમાં રોંગ સાઈડમાં આવતા ટ્રક ચાલકે અકસ્માત સર્જતા ટ્રક ચાલકનું મોત થયું હતું તો ફરિયાદી ટ્રક ચાલકને પણ ઈજા પહોંચી હોવાની ફરિયાદ નોંધાઈ છે માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે