શું આમ જ નગરપાલિકા સરકારી સંપત્તિને લૂંટાવવામાં વ્યસ્ત રહેશે કે નક્કર કામગીરી કરશે ??
વિશાલ જયસ્વાલ દ્વારા : ચોરીના બનાવમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે હવે તો સ્મશાન પણ સલામત રહ્યા નથી ગતરોજ સ્મશાનની અગ્નિસંસ્કારની ખાટલીઓ માંથી ૧ ખાટલી ના બીડ ની ચોરી થઈ હતી ત્યારબાદ આજે સતત બીજા દિવસે અન્ય એક અગ્નિસંસ્કારની ખાટલી માના બીડ ની ચોરી થઈ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ ભવાની નગર નજીક આવેલ સ્મશાનમાં બે દિવસમાં અલગ અલગ અગ્નિસંસ્કારની ખાટલીઓ માણી ત્રણ ખાટીલીઓ ની ચોરી થઈ છે ત્યારે નગરપાલિકાએ હજુ સુધી સરકારી સંપત્તિ ની ચોરી થવા છતાં પણ ફરિયાદ નોંધાવી નથી તો શું આમ જ સરકારી સંપત્તિઓની લૂંટાતી બચાવવામાં તંત્ર કોઈ પગલા લે છે કે આમ જ ચાલતું જ રહેશે