પ્રાથમિક શાળાના બાળકોને માતા-પિતાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજન કરાવાયું

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા અને મિત્ર સ્વભાવ ધારી જીતેન્દ્ર કુમાર કાંતિલાલ અઘારા કે પોતાના વતન અરણીટીંબા ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 250 બાળકોને બટુક ભોજન કરાવવા નો કાર્યક્રમ રાખી પોતાના માતા-પિતા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગત તારીખ 27-4-2022 ના રોજ 11:00 બટુક ભોજનનો પ્રેરણા દાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

સ્વ. કાંતિલાલ મેઘજીભાઈ અઘારા તેમજ સ્વ. સોમીબેન કાંતિલાલ અઘારા ની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પુત્ર જીતેન્દ્ર કુમાર કાંતિલાલ તેમજ તેમના ભાઈ દિલીપભાઈ તથા પંકજભાઈ તથા સંદીપભાઈ તથા પરિવારજનો સાથે અરણીટીંબા ગામ ખાતે બટુક ભોજન કરાવ્યું હતું જે સમગ્ર કાર્યક્રમમા બટુક ભોજન કરતા બાળકો સાથે અઘારા પરિવાર સહીત શિક્ષકો વિદ્યાર્થીઓ તસવીરમાં નજરે પડે છે