ટંકારા : “ધોરણ 10 પછી શું” વિષય પર સેમિનાર યોજાયો

રાજકોટની દર્શન યુનિવર્સિટી દ્વારા ન્યુ વિઝન સ્કૂલ,ટંકારા ના ધોરણ 10 ના વિધાર્થીઓ માટે “ધોરણ 10 પછી શું” વિષય પર તા. 05 મે, 2022 ના રોજ સેમિનાર નું આયોજન કરવા માં આવ્યું હતું.

આ સેમિનાર માં દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર ચિંતન કાનાણી દ્વારા ધોરણ 10 પૂર્ણ કર્યા બાદ અલગ-અલગ કેરિયર ઓપ્શન વિશેનું ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ગવર્મેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ, બિઝનેસ, પ્રોફેશન તથા ધોરણ 10 બાદ થતા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી હતી.

વિદ્યાર્થીઓએ પોતાની આર્થિક, શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાને આધારે ગ્રુપ અને કેરિયરનો નિર્ણય કેવી રીતે કરવો એ ચર્ચા પણ કરવામાં આવી હતી. દેશમાં શું બદલાવ આવી રહ્યો છે, ક્યાં ફિલ્ડમાં તકો વધી રહી છે, ભવિષ્યમાં કેવા પ્રકારની તકો નું નિર્માણ થશે. આ બધા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ધોરણ ૧૨ સાયન્સ પછી એન્જિનિરીંગ, મેડિકલ, પેરામેડિકલ, આર્કિટેકચર, એગ્રિકલ્ચર, BSc, ફાર્મસી વગેરે અભ્યાસ્ક્રમોની માહિતી આપવામાં આવી હતી.

આ સેમિનાર નાં અંતે બધા જ વિદ્યાર્થીઓ ને “ધોરણ 10 પછી શું” ની માહિતી પત્રિકા આપવામાં આવી હતી. આ સેમિનાર નું આયોજન વિદ્યાર્થીઓ પોતાની એકેડેમિક અને પ્રોફેશનલ કેરિયરમાં સારી રીતે સફળતા મેળવી શકે તે ઉદ્દેશ્યથી કરવામાં આવેલું હતું.

આ સેમિનાર ને સફળ બનાવવા માટે ન્યુ વિઝન સ્કૂલ ના પ્રિન્સિપાલ દિલીપ બારૈયા સર અને દર્શન યુનિવર્સિટીના પ્રોફેસર ઉમેશ ઠોરિયા, પ્રોફેસર આશિષ ડોંગા તથા પૂરી ટીમ એ જહેમત ઉઠાવી હતી.

વધુ માહિતી માટે સંપર્ક:પ્રો. ઉમેશ ઠોરિયા 9714233355