મોરબી : “એકતા યાત્રા“ નું જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કરાયું

શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત દ્રારા “એકતા યાત્રા“ નું આયોજન કરવા માં આવ્યું છે જે યાત્રા તારીખ-12/05/2022 ના રોજ મોરબી શહેર માં પધારી હતી તેમાં રથ માં બિરાજમાન માતાજી અને અખંડ જ્યોત ને નમન કરી સાથે પધારેલ કરણી સેના ગુજરાત રાજ્ય ના પ્રમુખ જે.પી.જાડેજા, સૌરાષ્ટ્ર અધ્યક્ષ ક્રુષ્ણસિંહ જાડેજા, વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજા મોરબી જીલ્લા કરણી સેના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ મોરબી જીલ્લા રાજપૂત સમાજ ના આગેવાનઓ અને એકતા યાત્રા ના આયોજકો તથા આગેવાનો સર્વે નું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાર પહેરાવી,  ઉમળકા ભેર  હાર્દિક સ્વાગત કરવા માં આવ્યું હતું.

આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ ના જયંતિભાઈ જે.પટેલ , કે.ડી.પડસુંબિયા, મનોજભાઇ પનારા, મુકેશભાઇ ગામી , મહેશભાઈ રાજયગુરૂ, કે ડી બાવરવા, દેવેન્દ્રસિંહ જાડેજા,હરદેવસિંહ જાડેજા વાંકાનેર, અજીતસિંહ ખાખરેચી, જયુભા.પી.જાડેજા, અશ્વિનભાઈ વિડજા, રાજુભાઇ ચૌહાણ, નિધિબેન લાડોલા, હરદેવસિંહ જાડેજા ,  રજનીશભાઈ શિરવી, ચિરાગ રાચ્છ , ચેતનભાઈ એરવાડીયા, સંદીપભાઈ કાલરિયા, હુશેનભાઇ ભટ્ટી,  જાનમહમદ, કુલદીપસિંહ જાડેજા,  અભયરાજસિંહ ઝાલા , અલ્પેશભાઇ કોઠીયા, યુવરાજસિંહ ઝાલા, જગદીશભાઇ મુછડીયા, હિતુભા જાડેજા, મુસ્તાક પીલુડીયા હાજર રહ્યા હતા.