હળવદના ધણાદ ગામે વાડીએ નિંદ્રાધીન સ્થિતિમાં યુવાનની હત્યા

વિશાલ જયસ્વાલ : હળવદ તાલુકાના ધણાદ ગામે વાડીએ રખોપુ કરવા ગયેલા યુવાનની કોઈ અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ ટીમ ધણાદ વાડી વિસ્તારમાં દોડી ગઈ હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ધણાદ ગામે રહેતા રાજુભાઇ નાગરભાઈ ઠાકોર ઉ.૨૫ નામના યુવાનને ધણાદ રણમલપુર રોડ ઉપર વાડી આવેલી છે અને આ વાડીમાં હાલમાં ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય તેવો રોજ રાત્રીના વાડીએ રખોપુ કરવા જતા હતા. ગઈકાલે રાત્રે પણ નિત્યક્રમ મુજબ વાડીએ ગયા હતા જ્યાં કોઈ અજાણ્યા શખ્સોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.હત્યાના આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી

બીજી બાજુ મૃતકના ભાઈ એ બે વ્યક્તિઓ પર શંકા વ્યક્ત કરી હતી હાલ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કોડ સહિતની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે