રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોરબી જિલ્લાના પ્રવાસે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ૫(પાંચ)મી જૂને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ૫(પાંચ)મી જૂને સવારે ૧૦ કલાકે રાજકોટ-મોરબી હાઇવે, હરબટીયાળી  ખાતે ઋષિ સ્મૃતિ સ્થળના ભૂમિપૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૦:૩૫ કલાકે ઋષિ જન્મસ્થળ, ટંકારા ખાતે દર્શનાર્થે જશે.