મોરબી : સગીર વયની પુત્રીને ભગાડી જવાના આરોપીની શોધખોળ યથાવત

આરોપીની જાણ થાય તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો

મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ગત તા. ૧૧/૦૪/૨૦૨૧ના રોજ નોંધાયેલ ગુના અનુસાર ફરિયાદી શ્રીકાંતસિંહ શ્યામફલ યાદવ, રહે, રવાપર રોડ, સરદાર નગર-૧, મોરબી મૂળ શાહકુંદનપુર, તા. તમોલી, જિલ્લો આઝમગઢ (ઉત્તરપ્રદેશ) ની સગીર વયની દીકરીને આરોપી નીકુંજ ભગવાનજીભાઇ સોરઠીયા/પટેલ મૂળ રહે. લોઠીયા તા. જિ. જામનગર વાળાએ લલચાવી ફોસલાવીને લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ છે. તે અંગેની નોંધાયેલ ફરિયાદ અનુસાર હાલ આ ગુનાની તપાસ ચાલુ છે.

આ મુદ્દે ફરિયાદી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરે છે. આ ગુનાના આરોપીને પકડવા માટે પોલીસે પૂરતા પ્રયત્નો કરવા છતાં આરોપી આજદિન સુધી પકડાયેલ નથી. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતો ફરે છે. આરોપીનો કોઇ પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ, એ ડીવીજન પોલીસ સ્ટેશન મોરબીના પીઆઇ એમ.આર. ગોઢાણીયા, મો.૯૮૨૫૨૭૯૫૦૩, ૯૯૭૯૭૯૭૭૮૮ અથવા કચેરીના ટેલીફોન નં.૦૨૮૨૨-૨૩૦૧૮૮ પર સંપર્ક કરીને આરોપીની જાણ કરવા પોલીસ તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.