શિક્ષકો માટેના રાષ્ટ્રીય પારિતોષિક માટે ૨૦મી જૂન સુધી નોંધણી કરી શકાશે

માનવ સંશાધન વિકાસ મંત્રાલય, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નવી દિલ્હી દ્વારા “શિક્ષકો માટેની રાષ્ટ્રીય પારિતોષિક” યોજના અમલમાં છે. જે અન્વયે “રાષ્ટ્રીય પારિતોષિક – ૨૦૨૨” માટે સ્વ-નામાંકન કરવા ઈચ્છુક શિક્ષકોએ તા.૨૦/૦૬/૨૦૨૨ સુધીમાં પોતાના નામની નોંધણી MHRDના વેબસાઈટ (http://nationalawardstoteachers.education.gov.inપર જરૂરી સૂચનાઓ અનુસાર ઓનલાઈન દરખાસ્ત કરી શકશે. જેની મોરબી જિલ્લામાં સરકારી/અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓને નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી – મોરબીની યાદીમાં જણાવાયું છે.