નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન  દ્વારા પરીવારનું પંચામૃત સ્ટાફ સેમીનાર યોજાયો

નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન મોરબીમાં ત્રિ-દિવસીય સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવેલ. તેમાં પ્રથમ દિવસે  જિગર ઇનામદાર સેનેટ & સિન્ડિકેટ સભ્ય એમ.એસ. યુનિવર્સીટી –વડોદરા દ્વારા આજની યુવા પેઢી ને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે અન્ય દેશની સરખામણીમાં આપણો દેશ સક્ષમ બની રહે તે જ્ઞાન પીરસેલ.

બીજી સેશનના પ્રખર વક્તા, યુવા પેઢીના ચહિતા સંજય રાવલ આવેલ તેમના દ્વારા શિક્ષકોની ભૂમિકા, કર્મને પ્રધાન અને વિદ્યાર્થીઓના દિલમાં શિક્ષકનું સ્થાન કયાં માટે અંકિત થઈ જાય તેવું જીવન જીવવાની જ્ઞાનવાણી પીરસવામાં આવેલ.

આ સેમીનારના પ્રથમ દિવસને સફળ બનાવવા પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજમેંટ ટીમે જહેમત ઉઠાવી.