મોરબી શાક માર્કેટમાં વર્ષોથી ઉભરાતી ગટરની સમસ્યાનો અંત આવ્યો

મોરબી શાક માર્કેટ પાસે વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા હતી જેથી ત્યાંના વેપારીઓને ખુબજ હાલાકી પડતી હતી વેપારીઓ રજુઆત અંતે રંગ લાવી અને મોરબી પાલિકા દ્વારા આ વર્ષો જૂની સમસ્યાનો અંત લાવી દીધો છે જેમાં ત્યાં જુના પાઈપો કાઢીને નવા પાઈપો નાખવામાં આવ્યા છે જેથી હવે ઉભરાતી ગટર ની સમસ્યાનો અંત આવ્યો છે

આ અનુસંધાને સ્થાનિક વેપારીઓ દ્વારા પાલિકાના કાઉન્સેલર ભાવિકભાઈ જારીયા અને રવેશીયાભાઈનું ફુલહાર કરીને સન્માન કર્યું અને સાથે આ કામ કરવા બદલ પાલિકા તંત્રનો વેપારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો