મોરબી : સ્વજનની સ્મૃતિમાં શહીદ પરિવારો અને અનાથ દિકરીઓની ફી માટે 14 લાખ અર્પણ કરતો ઉઘરેજા પરિવાર

સ્વ. મહેશભાઈ ઉઘરેજની પુણ્યતિથિએ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનને આપી 14.14 લાખનું અનુદાન

મોરબી : ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે એ મૃત્યુ પછી પણ એના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા( ચંદન હાર્ડવેર)નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયેલુ

ત્યારે ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરી ઓના અભ્યાસ માટે કાર્ય કરતું સેવા એ જ સંપત્તિના ચેરમેન અજય લોરીયાને 14 લાખ 14 હજારની રકમ અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારજનોએ અર્પણ કરી અને મહેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી