ટંકારા : “અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ 2022 “ની ઉજવણી કરાઈ

ટંકારા તાલુકાની સરાયા તાલુકા શાળામાં ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ,રાજકોટ દ્વારા “અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ 2022 ” ની ઉજવણી કરવામાં આવી.

ટંકારા તાલુકા શાળાની શ્રી સરાયા તાલુકા શાળામાં ગણિતના થ્રીડી મોડલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં A.I.R.M.C.ના અધ્યક્ષ ડો.ચંદ્રમોલી જોશી, મેહુલ હરસોરા, આચાર્ય ચુનીલાલ ઢેઢી, સાયન્સ ટીચર સુનિલ સંઘાણી, નિલેશસર ઢેઢી તેમજ સમગ્ર શાળા પરિવાર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કે વિદ્યાર્થીઓ જાતે ગણિતના થ્રીડી મોડલ બનાવી શકે .

આ કાર્યક્રમને અંતે મેથ્સ લેબ એટ હોમ (ગણિતની પ્રયોગશાળા)ની કીટ સંસ્થાને વિના મૂલ્યે આપવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ ગણિત વિષય પ્રત્યે અભિરુચિ કેળવે.