હળવદ બનેલ ગોઝારી ઘટનાના પરિવારજનોને ચેક વિતરણ કરવામાં આવ્યા

12 નિર્દોષ લોકોના મોત થયા હતાં – મૃતકને 4 લાખ અને ઈજાગ્રસ્તને 50 હજાર ની રકમ ના ચેક નું વિતરણ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદની જીઆઇડીસીની સાગર સોલ્ટ નામની ફેક્ટરીમાં દીવાલ ધરાશાયી થવાથી 12 નિર્દોષ લોકોના મોત થયા હતા. જેમાં પ્રધાનમંત્રીએ આ ગોઝારી ઘટનાની સંવેદના વ્યક્ત કરી હતી. તો સાથે મુખ્યમંત્રી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારોની રૂબરૂ મુલાકાત લઇ સંવેદના વ્યક્ત કરી રાજ્ય સરકાર દ્વારા 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં હળવદની મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મામલતદાર એસ.એન.ભાટી, રજનીભાઇ સંઘાણી, રણછોડભાઇ દલવાડી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઇ પટેલ, તપનભાઇ દવે, ભાવેશભાઇ ઠક્કર, સહિતનાઓ હાજર રહી પીડિત પરિવારોને સહાયના ચેક અર્પણ કર્યા હતા. જેમાં મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તને 50 હજાર એમ કુલ 49 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મૃતકોના નામ રમેશભાઇ નરશીભાઇ પીરાણા, કાજલબેન રમેશભાઇ પીરાણા, દક્ષાબેન રમેશભાઇ કોળી, શ્યામભાઇ રમેશભાઇ કોળી, રમેશભાઇ મેઘાભાઇ કોળી, ડાહ્યાભાઇ નાગજીભાઇ ભરવાડ, દીપકભાઇ દીલીપભાઇ કોળી, રાજેશભાઇ જેરામભાઇ મકવાણા, દિલીપભાઇ રમેશભાઇ કોળી, શિતલબેન દિલીપભાઇ કોળી, રાજુબેન ડાહ્યાભાઇ ભરવાડ
દેવીબેન ડાહ્યાભાઇ ભરવાડ અને ઇજાગ્રસ્તના નામ સંજયભાઇ રમેશભાઇ કોળી, આશાબેન ડાહ્યાભાઇ ભરવાડ