અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમાના દિવસે જરૂરિયાત મંદોને ભરપેટ જમાડવાનો અનોખો સેવાયજ્ઞ

મોરબીમાં ટૂંક સમયમાં જ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું અક્ષર ડેકોર દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે મોરબીના સ્લમ વિસ્તાર ગણાતા મયુર પુલની નીચે આવેલા ઝુપડપટ્ટી વિસ્તાર તેમજ અગનેશ્વર મહાદેવ વિસ્તાર તેમજ નવલખી ફાટક વિસ્તાર સહિતના જુદા જુદા એરિયામાં જઈ જયદીપભાઈ ડાભી તથા તેમની ટીમ દ્વારા જરૂરિયાત મંદોને સ્વામિનારાયણ ની સ્વાદિષ્ટ તેમજ પોસ્ટ ગરમાગરમ લાઈવ ખીચડી કુલ ૬૦ કિલો થી વધારે જમાડીને તમામ નરેન્દ્ર નારાયણની જઠરાગની ઠારવાનું અનોખું પુણ્ય મેળવ્યું

સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ઢીચણ સમા પાણી ભરાયા હતા જેમાં ખાસ કરીને નીચાણ વાળા સ્લમ ઝુપડપટ્ટીના વિસ્તારોની હાલત ખુબ જ કફોડી હતી ત્યારે આવા વિસ્તારો માં પણ જઈ અને જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચાડી હતી