મોરબી નગરપાલિકા દ્વારા રોગચાળો ફેલાતો  અટકાવવા દવા છંટકાવની કામગીરી શરૂ

વરસાદ બાદ કાદવ-કીચડ તેમજ પાણી ભરાવવાના કારણે રોગચાળો ફેલાવવાનો ભય રહે છે. ત્યારે રોગચાળો ન ફેલાય અને માખી-મચ્છરના ઉપદ્રવને નિયંત્રણમાં લાવી શકાય તે માટે મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં મોરબી નગરપાલિકા દ્વારા દવાઓનું છંટકાવ કરવામાં આવી રહ્યું છે.