મોરબીમાં શ્રાવણ માસ દરમિયાન માંસાહાર અને ઈંડાનું વેચાણ બંધ કરવા રજુઆત

મોરબી જિલ્લા કલેકટરને મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદ તથા બજરંગ દળ ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે કે 29/07/2022 ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. આ પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો એ પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે તો આ દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ ચાલુ હોય તેના પર પ્રતિબંધ એક માસ પૂરતો લગાવવામાં આવે.

ઉપરોક્ત વિષયનું જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો મોરબી જિલ્લા માં પણ એ બાબતનું જાહેરનામું બહાર પાડવા મોરબી જિલ્લા કલેકટરને રજુઆત