આમ આદમી પાર્ટી મોરબીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો

૪૦૦થી વધુ લોકો રાજનીતિમાં સફાય કરવા ઝાડુ સાથે જોડાયા

ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કૈલાસદાન ગઢવી દ્વારા ભાજપના ની નેતાઓ અને તેમના માળતીયાઓ ને અપાતી છૂટો ને રેવડી સાથે સરખાવી

મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો આ સમયે આશરે ૮૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહેલ જેમાં ૪૦૦ થી વધુ લોકોએ ભાજપ કોંગ્રેસ ની ગંદી રાજનીતિનો સફાયો કરવા ઝાડુ ઉપાડવા આમ આદમી પાર્ટીમાં જોડાયા.

મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ ની શરૂઆમાં યુવા નેતા પંકજ રાણસરિયા દ્વારા સ્વાગત પ્રવચન સાથે ભાજપ અને કૉંગ્રેસ ની હલકી પ્રજાનીતિ વિશે માહિતી આપી, સ્ટેટ ટ્રેડના ઉપપ્રમુખ ગિરીશ પેથાપરા દ્વારા લોકોને જનજાગૃતિ કરવા પહેલ કરેલ, ત્યાર બાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભરષ્ટાચાર માં ગાળા ડૂબ ભાજપના નેતાઓ ની ઝાટકણી કાઢી.

અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવ્યું, આ જનસંવાદ માં જિલ્લાના તમામ હોદેદારો અને તમામ સેલના હોદેદારો સાથે વિધાનસભા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહેલ