૧લી ઓગસ્ટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી ખાતે લોક સંવાદ યોજશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ ૩૧ જુલાઈ અને ૧લી ઓગસ્ટ એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે છે. જે અંતર્ગત મંત્રી ૧લી ઓગસ્ટ, સોમવારના રોજ સવારે ૯:૦૦ કલાકે સર્કિટ હાઉસ મોરબી ખાતે લોક સંવાદ યોજશે.