બાળકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય

મોરબીમાં દરેક તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રાવણ માસના બીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કર્યું હતું ખાસ કરીને દુધથી વાંચીત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિત ૧૭૦૦ લોકોને દૂધપાક- પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.