મોરબી માળીયા સરપંચો દ્વારા તલાટીઓની હડતાલ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજુઆત કરાઈ

મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં તલાટી મંત્રી ઓ અચોકસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે ઘણી ખરી કામગીરી ખોરવાઈ છે.

જેને પગલે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આયુષમાન કાર્ડ મા અમૃતમ કાર્ડ કઢાવવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આ હડતાલનું નિરાકરણ લાવીને ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરવા માટે મોરબી તેમજ માળીયા તાલુકાના અલગ અલગ ગામના સરપંચ દ્વારા આજે મોરબી જિલ્લા કલેકટર તેમજ ડીડીઓ ને રજુઆત કરવામાં આવી હતી અને હજુ આ હડતાલ આમ જ યથાવત રહેશે તો લોકો ની હાલત કફોડી બનશે અને જો યોગ્ય નિરાકરણ નહિ આવે તો સરપંચો દ્વારા પણ આગળના સમયમાં કાર્યક્રમ આપવામાં આવશે.