મોરબીનાં બે પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપી તરીકે પ્રમોશન મળ્યું

ગુજરાતમાં બે દિવસ પહેલા ૧૯૨ પીએસઆઈને પીઆઇ તરીકે પ્રમોશન આપ્યા બાદ મોડી રાત્રે અધિકારીઓની બદલી બઢતીની જાહેરાત કરવામાં આવી હતી.

જેમાં રાજ્યના બે આઇપીએસની બદલી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી અમિત વસાવાને અમદાવાદ ગ્રામ્ય એસપી તરીકે મુકાયા કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરના એસપી કિશોર બાલોલિયાને બોટાદ એસપી તરીકે મુકાયા છે તેમજ રાજ્યભરના ૨૩ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે

મોરબી એલસીબી પીઆઇ એમ. આર. ગોઢાણીયાને અને મોરબી જિલ્લા ટ્રાફિક શાખા પીઆઇ વી.બી.જાડેજાને ડીવાયએસપી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં એમ આર ગોઢાણીયાને હાલમાં આઈ.બી. ડીસા રિજીયનમાં મુકવામાં આવ્યા છે અને વી.બી.જાડેજાને હજુ નિમણુંક આપવામાં આવી નથી.