વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં ફિઝીયોથેરાપી કેમ્પ યોજાશે

મોરબી: વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબીના જીઆઇડીસી રોડ પર આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના બીજા માળે રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટર ખાતે ડો.કેશા અગ્રવાલ દ્વારા ફ્રી ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં આગામી તા.૮ માર્ચને મંગળવારના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સવારે ૯ થી ૧૨ કલાકે શ્રી સ્વામી નારાયણ સંસ્કાર ધામ ઇમેજીંગ સેન્ટર બીજા માળ, ફિઝીયોથેરાપી સેન્ટર ખાતે યોજાનાર ફ્રી કેમ્પમાં પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો, કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા, મેનોપોઝ પછીની તફલીકો, ખાલી ચડવાની સારવાર, ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો, યુરીન લીકેજ તકલીફની કસરતો, હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઇ શકશે. રજીસ્ટ્રેશન માટે મો.8160282456, 9898645670 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.