શ્રી વવાણીયા કન્યા શાળામાં તિરંગા યાત્રા યોજાઈ

શ્રી વવાણીયા કન્યા શાળામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાનાં શિક્ષકો, આચાર્ય શ્રી ઈશ્વરભાઇ સાવરિયા અને શાળાનાં હાજર તમામ વિદ્યાર્થીઓ દ્વારા વવાણીયા ગામની બજારોમાંથી રેલી દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવેલ. વાલીઓ અને ગામનાં રહેવાસીઓને હર ઘર તિરંગા અંતર્ગત અવગત કરાવવામાં આવેલ. વિવિધ સુત્રોરચાર અને નારાઓના નાદથી વવાણીયા ગામ ગુંજી ઊઠ્યું.

સમયાંતરે તિરંગા યાત્રા શ્રી વવાણીયા કન્યા શાળાથી શરૂ કરી ગામની તમામ મુખ્ય શેરીઓ-બજારોમાં ફરી અંતે શ્રી વવાણીયા કન્યા શાળા પહોંચી પૂર્ણ જાહેર કરવામાં આવેલ.