હળવદ ખાતે આવતીકાલે માર્કેટિંગ યાર્ડ વિરાંજલી કાર્યક્રમ યોજાશે

શ્રીરામ ગૌશાળા ના લાભાર્થે આવતીકાલે લોક ડાયરાનું ભવ્ય આયોજન

વિશાલ જયસ્વાલ હળવદ : શ્રીરામ ગૌશાળા ના લાભાર્થે તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગ દળ હળવદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિન નિમિતે વિરાંજલી કાર્યક્રમનું ભવ્યથી ભવ્ય આયોજન માર્કેટિંગ યાર્ડ હળવદ કરવામાં આવ્યું , વધુમાં બજરંગ દળના પ્રાંત સંયોજક તેમજ હળવદના વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન ભાવેશભાઈ ઠક્કર જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકાર રાજભા ગઢવી , હકાભા ગઢવી ,જયમંતભાઈ દવે ,અરૂણભાઇ પટેલ ,જનકભાઈ વાઘેલા તેમજ થોડા સમયથી લોકો મા પ્રખ્યાત બનેલ એવા કમાભાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે

ત્યારે સમગ્ર હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને આ કાર્યક્રમમાં જોડાવા અમે હૃદયથી આવકાર્ય છીએ આ કાર્યક્રમની તમામ રકમ શ્રીરામ ગૌશાળામાં નિભાવ થતી ગાયો માટે વાપરવામાં આવશે

આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડ હળવદ ખાતે આવતીકાલે તારીખ 14 ઓગસ્ટના રોજ રાત્રે 9:00 કલાકે યોજાશે