નવયુગ શૈક્ષણિક સંકૂલ ખાતે જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ

નવયુગ શૈક્ષણિક સંકૂલ વીરપર(મોરબી) મુકામે જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ.માધ્યમિક તેમજ કોલેજ વિભાગના  વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વસુદેવ દ્વારા બાલ કૃષ્ણને ટોપલીમાં મૂકી શોભાયાત્રા યોજવામાં આવી.

બાલમુકુન્દની આરતી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઇ સરસાવાડીયા દ્વારા કરવામાં આવી. જુદા જુદા 8 વિભાગ ના દરેકકાનુડા દ્વારા મટકી ફોડ તથા પિરામિડ થયા.  પ્રમુખશ્રી પી.ડી. કાંજીયાની રાહબરી નીચે  કાર્યક્રમ ખૂબ આનંદ સાથે પૂર્ણ થયો.