સદભાવના હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન તથા દવા નો કેમ્પ યોજાયો

સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ મલ્ટીસ્પેશયાલીટી હોસ્પિટલ મોરબી દ્વારા મોરબી ના વજેપર મેઇન રોડ ના ચકવા હનુમાન ના મંદિર માં સંપૂર્ણ ફ્રી નિદાન તથા દવા નો કેમ્પ રાખવામાં આવેલ. જેમાં જનરલ મેડિસિન ના ડોક્ટર,બાળકો ના ડોક્ટર,ઓર્થોપેડિક(હાડકા) ના ડોક્ટર,ગાયનેક(મહિલા ને લગતા રોગ) ના ડોક્ટર, હાજર રહેલ હતા. અને આશરે 270 દર્દીઓ એ આ ફ્રી નિદાન અને ફ્રી દવા કેમ્પ નો લાભ લીધેલ હતો.

અત્રે જણાવવાનું કે સદભાવના ચેરીટેબલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ છેલ્લા 30 વર્ષ થી કાર્યરત છે. અને જનરલ મેડિસિન, ઈમરજન્સી વિભાગ,  ICCU વિભાગ, તથા ટ્રોમા ICU, તેમજ ઓર્થોપેડિક વિભાગ, બાળકો નો વિભાગ, ડેન્ટલ વિભાગ, કસરત નો વિભાગ, જનરલ સર્જરી જેવા દરેક વિભાગો 24 કલાક કાર્યરત છે.ઈમરજન્સી સેવાઓ નો લાભ 24 કલાક ઉપલબ્ધ છે.