શ્રાવણમાસ પર્વે વિશિષ્ટ પ્રવચનમાળા, ચાલો ચાલોને મંદિર બનાવીએ…વક્તા : પૂ.વિવેકસાગર સ્વામી
ભારતીય સંસ્કૃતિની શાશ્વત ધરોહર એટલે મંદિર… માનવ નિર્માણની પાઠશાળા એટલે મંદિર… સુખ-શાંતિનો પરમ વિરામ એટલે મંદિર…
મોરબીના નગરજનોનું સૌભાગ્ય છે કે આપણા આંગણે બ્રહ્મસ્વરૂપ પૂ.યોગીજી મહારાજ દીક્ષિત, વિશ્વવંદનીય સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સાથે ૪૨ વર્ષ સુધી પડછાયાની જેમ રહીને સેવા કરી છે તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના કૃપાપાત્ર સંત એવા પૂ.વિવેકસાગર સ્વામી પોતાની વિદ્ધતાસભર અને રસાળ શૈલીમાં આધુનિક અભિગમથી મંદિર મહિમાનું અમૃતપાન કરાવનાર છે.
પ્રત્યેક પરિવારમાં પરિવર્તન લાવનાર આ વિશિષ્ટ પારાયણમાં પરિવાર-મિત્રજનો સહિત પધારવા આપને અમારું સ્નેહભર્યુ નિમંત્રણ છે.
તારીખ : ૨૧-૮-૨૦રર રવિવાર થી ૨૩-૮-ર૦રર મંગળવાર,
સમય : રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦, પારાયણ પૂજન : રાત્રે ૮:૦૦ થી ૮:૩૦, સ્થળ : BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ઝુલતા પુલની બાજુમાં, મોરબી-ર નિમંત્રક : સાધુ હરિસ્મરણદાસ