મોરબી : પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી ગણેશ યાગ નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞ માં વિવિધ પ્રકાર ના ફાળો સાથે ગણપતિ ન પ્રિય મોદક હોમી યજમાનો એ અનેરો લાભ લીધો હતો.આ ગણેશયાગ માં તાલુકા બ્રહ્મસમાજ ના પ્રમુખ તેમજ યજ્ઞ ના મુખ્ય આચાર્ય કૌશિક ભાઈ વ્યાસ એ પોતાની આગવી શૈલીમાં માં સૌ ને ભક્તિમુગ્ધ કરી દીધા હતા.

આ યાગ માં પરશુરામ ધામ ન પ્રમુખ ભુપતભાઇ પંડ્યા અનિલભાઈ મહેતા ચિંતન ભાઈ ભટ્ટ નિરજભાઈ ભટ્ટ રાજેન્દ્ર ભાઈ ભટ્ટ નરેન્દ્રભાઈ મહેતા મહેશભાઈ ભટ્ટ રોહિત પંડ્યા નિલાબેન પંડિત અને કિરણબેન ઠાકર વિનુભાઈ ભટ્ટ હાર્દિક વ્યાસ હરીશભાઇ પંડ્યા, યગ્નેશ ભાઈ, હર્ષિતભાઈ સહિતના આગેવાનો એ હાજરી આપી હતી.