મોરબી : ગણેશ મહોત્સવમાં દેશની શાન એવા રાષ્ટ્રધ્વજ નું પણ સન્માન કરવામાં આવે છે

મોરબી નો એકમાત્ર એવો ગણેશ મહોત્સવ કે જ્યાં ગણેશજી ની આરાધના સાથે સાથે દેશની શાન એવા રાષ્ટ્રધ્વજ નું પણ સન્માન કરવામાં આવે છે વૈભવ લક્ષ્મી ગૃપ આયોજિત ગણેશ મહોત્સવ જે રવાપર ગામ ખાતે રાખેલ છે તેમાં ગણેશજી ની અદ્ભુત મૂર્તિ ના દર્શન સાથે સાથે ત્યાં આવતા દર્શનાર્થીઓ જે 15 મી ઓગસ્ટ પછી જ્યાંત્યાં રહેલા કે તૂટી ગયેલાં રાષ્ટ્રધ્વજ સાથે લાગે છે અને આ ગ્રુપ ના યુવાનો ને આપે છે જે લોકો ક્રાંતિકારી સેના સુધી પહોંચાડશે સાથે સાથે રોજ રાષ્ટ્રીય ગીત નું પણ ગાન કરવામાં આવે છે જેથી લોકો માં અને બાળકો મા દેશ ભક્તિ જાગે.