મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સન્માન સમારોહ 1000 થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરાયું .

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને ડો. જગદીશ ત્રિવેદી ની ઉપસ્થિતિ માં આયોજન કરાયું

તારીખ 18-09-2022 નાં રોજ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતિ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા અને પ્રખ્યાત હાસ્ય કલાકાર ડૉ. જગદીશભાઈ ત્રિવેદી ની પ્રેરક ઉપસ્થિતિમાં તથા મોરબી પી. આઇ. મયંકભાઇ પંડ્યા ની હાજરીમાં બ્રહ્મસમાજ ના 1000 થી વધુ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું.

આ તકે મોરબી માં વસતા ભૂદેવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી ની યાદી જણાવે છે