હળવદ : સૂર્યનગર ખાતે નવમા અને અંતિમ નોરતાએ ગામની તમામ દીકરીઓને લ્હાણી આપવામાં આવી

હળવદ-બજરંગ યુવા ગ્રુપ આયોજીત નવરાત્રી મહોત્સવ 2022 અંતર્ગત આજે નવમા અને અંતિમ નોરતાએ સૂર્યનગર ગામની સતવારા સમાજની ગરબીમાં વિવિધતા સભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના તમામ યુવાઓ મંડળીના નામ વાળા ટીશર્ટ પહેરી ગરબે રમ્યા હતા.ત્યાર બાદ સુંદર મજાની સમૂહ આરતી થઈ હતી જેમાં ગામના 500 જેટલા ગ્રામજનોએઆરતીનો સમુહમાં લાભ લીધો હતો

ત્યાર બાદ માતાજીની આરતી ઉતારી માતાજીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ અંતમાં ગામની તમામ અપરણીત દીકરીઓને દાતા નરેન્દ્રભાઈ રંગાડીયા અને સંજયભાઈ લકુમ તરફથી વાસણ ભેટ આપી લ્હાણી કરવામાં આવી હતી.આમ નવરાત્રીનું સુંદર અને સફળ આયોજન રહ્યું હતું.