મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ અને પરશુરામ યુવા ગ્રુપ નાં સંયુક્ત ઉપક્રમે શસ્ત્ર અને શાસ્ત્ર પુજન કરાયું

તારીખ 05-10-2022 બુધવાર, દશેરા નાં પવિત્ર દિવસે ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યાના આચાર્ય પદેથી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પુજન નું આયોજન કરવામાં આવ્યું હતું

આ તકે બ્રહ્મ અગ્રણી પ્રશાંતભાઈ મેહતા,એન.એન ભટ્ટ સાહેબ,નરેન્દ્રભાઇ મેહતા,નિમેષભાઈ અંતાણી,જગદીશ ઓઝા સાહેબ અંબરિશભાઈ જોષી,ભૂપતભાઇ પંડ્યા,મહેશભાઈ ભટ્ટ, જયદિપભાઈ ઠાકર, ડો. ઉત્સવ દવે,યોગેશભાઈ જોષીમનીષભાઈ જોષી,પ્રણવભાઈ ત્રિવેદી,મહિધરભાઈ દવે,રીપુંજભાઈ પંડ્યા,સુરેશભાઈ ત્રિવેદી,કિશોરભાઈ પંડ્યા, અનિલભાઈ વ્યાસ,કિરીટભાઈ ત્રિવેદી,કુશભાઈ અંતાણી,મયુરભાઈ શુક્લ,આર્યન ત્રિવેદી,શિવ જાની,હર્ષ જાની,ઉદય જોષી,હેતલબેન વ્યાસ, રુચિતાબેન પંડ્યા,નિમિષાબેન જોષી,દક્ષાબેન ભટ્ટ તથા મહિલા મંડળના હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા

કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઈ જોષી તેમજ પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા મહામંત્રી ધ્વનિતભાઈ દવે તથા કમલભાઈ દવે તથા બંને પ્રકલ્પની સમગ્ર ટીમ એ ભારે જેહમત ઉઠાવી હતી.