રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશમેરજા ૮મી અને ૯મી ઓક્ટોબર એમ બે દિવસ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

મંત્રી બ્રિજેશમેરજા ૮મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે શ્રી બ્લુ ઝોન સિરામીક, પાવડીયારી ખાતે મ્યુઝીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૯મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે બોરીયા પાટી, બજરંગ સર્કલ ખાતે નરગપાલિકા દ્વારા ખાર્તમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે ૦૯:૦૦ કલાકે રોલા રાતડીયાની વાડી વોર્ડ નં.૧૧માં ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે ૧૦:૦૦ કલાકે ખાખરેચી ખાતે સામાજિક કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૪:૩૦ કલાકે ક્લબ-૩૬, લજાઈ ખાતે સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.