રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ રોજગાર અને કૌશલ્ય વિકાસ પંચાયત સ્વતંત્ર હવાલો ગ્રામ વિકાસ ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા તા. ૧૪, ૧૬ અને ૧૭ ઓકટોબર દરમિયાન મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે.

મંત્રીશ્રી ૧૪/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૭:૦૦ કલાકે મોરબી ખાતે લોકસંપર્ક યોજશે. ઉપરાંત દિવસ દરમિયાન મોરબી જિલ્લામાં ગૌરવ યાત્રા પ્રવાસમાં ઉપસ્થિત રહેશે.

૧૬/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૯:૩૦ કલાકે માળિયા ખાતે તાલુકા પંચાયત ભવનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે., તા. ૧૭/૧૦/૨૦૨૨ ના રોજ ૭:૪૫ ખાતે લક્ષ્મીનગર ખાતે નવા ગ્રામ પંચાયત ભવનના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.