ભૂકંપમાં દિવંગતોના કુટુંબીજનોની ભુજના સ્મૃતિ વનની મુલાકાત માટે સંદર્ભે વિગતો મોકલી આપવા અનુરોધ

દિવંગતોના સ્મર્ણાર્થે પરિવારો માટે વૃક્ષારોપણ, ભજન તથા પ્રવાસ મુલાકાતનું આયોજન કરાશે

સને-૨૦૦૧ ભૂકંપમાં અવસાન પામેલ દિવંગતોના કુટુંબીજનોની સ્મૃતિ મેમોરીયલ એન્ડ મ્યુઝીયમ, ભુજમાં ભૂકંપમાં અવસાન પામેલ વ્યક્તિઓના પરિવારો દ્વારા દિવંગતોના સ્મર્ણાર્થે વૃક્ષારોપણ, ભજન, પ્રવાસ તથા મુલાકાતનું આયોજન કરાય તે હેતુથી ભૂકંપની દુર્ઘટનામાં અવસાન પામેલા વ્યકિતનું પુરુનામ, ફોટો (સોફ્ટ કોપી), ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના સમયની તેમની પ્રોફાઈલ વિગત તથા ગામના નામ સાથેની વિગત મંગાવવામાં આવી છે.

ઉપરાંત અવસાન પામેલ વ્યકિતના નજીકના કુટુંબીજનોનું પુરુ નામ, દિવંગત વ્યકિત સાથેનો સંબંધ, મોબાઈલ નંબર, ઇ-મેઇલ એડ્રેસ, રહેઠાણનું સરનામું, તથા ગામનું નામ સહિતની વિગતો સંબંધિત મામલતદાર કચેરી અથવા [email protected] માં મોકલી આપવા જિલ્લા વહીવટી તંત્ર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.